‘મહાભારત’ ના યુધિષ્ઠિર એટલે કે ગજેન્દ્ર ચૌહાણે સાધ્યું આદિપુરુષ પર નિશાન મનોજ મુન્તાશીરની વાસ્તવિકતા આવી સામે,જાણો વિગત

gajendra singh chauhan aka yudhishthira of mahabharat lashes out on makers of adipurush
‘મહાભારત’ ના યુધિષ્ઠિર એટલે કે ગજેન્દ્ર ચૌહાણે સાધ્યું આદિપુરુષ પર નિશાન, મનોજ મુન્તાશીરની વાસ્તવિકતા આવી સામે,જાણો વિગત

News Continuous Bureau | Mumbai

મહાભારતમાં યુધિષ્ઠિર બનેલા ગજેન્દ્ર ચૌહાણ ‘આદિપુરુષ’થી ખૂબ નારાજ છે. ગજેન્દ્રનું માનવું છે કે આવી ફિલ્મો દેશની ધાર્મિક લાગણીઓની મજાક ઉડાવે છે. ગજેન્દ્ર એ આદિપુરુષ અને તેમના લેખન પર મીડિયા સાથે વાત કરી હતી. મીડિયા સાથેની વાતચીત દરમિયાન ગજેન્દ્ર કહે છે, સૌથી પહેલા હું કહેવા માંગુ છું કે રામાયણ અને મહાભારતની વાર્તાઓ આપણી સંસ્કૃતિ અને સભ્યતા સાથે જોડાયેલી છે. તેમની સાથે આ રીતે ચેડાં કોઈએ સહન ન કરવું જોઈએ. મહાભારત અને રામાયણ જોવાની વાત નથી પણ શીખવાની વાત છે. અમે આને વારસા તરીકે આગામી પેઢીને આપીએ છીએ. આ આપણા દેશની ધરોહર છે, જેનું રક્ષણ થવું જોઈએ. આમાંથી કોઈ ખોટો સંદેશ ન જવો જોઈએ.

 

ગજેન્દ્ર એ ટિકિટ બુક કરાવી હોવા છતાં ફિલ્મ જોવા ના ગયા 

ગજેન્દ્ર કહે છે કે, મેં આ ફિલ્મ જોવા માટે ટિકિટ પણ બુક કરાવી હતી, પણ ખબર નહીં કેમ મારો આત્મા એ વાત માટે રાજી નથી થઈ રહ્યો કે મારે થિયેટરમાં જઈને જોવું જોઈએ. વાસ્તવમાં, મેં ટ્રેલરમાં, ટૂંકી ક્લિપ્સમાં જે પણ જોયું છે, બધું જાણ્યા પછી, મને સમજાયું કે આ ફિલ્મ તેના માટે યોગ્ય નથી. હું મારી માન્યતાને બિલકુલ ખતમ કરવા માંગતો નથી. હું રામને માત્ર ભગવાન શ્રીરામના રૂપમાં જોવા માંગુ છું. હું માનું છું કે આની પાછળ ચોક્કસપણે કોઈ ઊંડું ષડયંત્ર છે, તેઓ આપણી ભાવિ પેઢીને બગાડવા માંગે છે. હું T-Series ના ભૂષણ જીને કહેવા માંગુ છું કે તેમના પિતાએ જે વારસો ઉછેર્યો છે અને જે રીતે તેમણે ધાર્મિક લાગણીઓનું ધ્યાન રાખ્યું છે, તેમણે આ બધી બાબતોનું ખૂબ જ ગંભીરતાથી ધ્યાન રાખવું જોઈએ. આવનારા સમયમાં આવી વસ્તુઓને બિલકુલ કિંમત ન આપવી જોઈએ.

 

ગજેન્દ્ર એ આદિપુરુષ ના ડાયલોગ વિશે કહી આ વાત 

સંવાદોના સુધારા પર ગજેન્દ્ર કહે છે, જુઓ ધનુષમાંથી તીર નીકળી ગયું છે. જે નુકસાન થવાનું હતું તે થઈ ગયું. હવે તમે ગમે તેટલો સુધારો કરો, તે બદલાવાનું નથી. આનાથી કોઈ ફાયદો થશે નહીં. લોકો આદિપુરુષને સજા આપી ચૂક્યા છે. ડે 1 નું કલેક્શન અને આજના કલેક્શન માં ઘટાડો જુઓ. તેઓ સજાને પાત્ર છે, તેમને સજા થવી જ જોઈએ. બલકે સેન્સર બોર્ડના નિર્ણયથી હું આશ્ચર્યચકિત છું. તેમની પણ પૂછપરછ થવી જોઈએ. આ ફિલ્મ બિલકુલ રિલીઝ ન થવી જોઈતી હતી. આખી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. સરકારે તાત્કાલિક આના પર રોક લગાવવી જોઈએ.ગજેન્દ્ર આગળ કહે છે, મને લાગે છે કે મનોજ મુન્તાશીરે અજ્ઞાનતા પરિચય આપ્યો છે. તેને ખરેખર કોઈ જ્ઞાન નથી. તેઓ ગીતકાર છે,તેમને સંવાદ લખવા આપી દીધા. વક્તા અને લેખકોના વીડિયો સોશિયલ મીડિયા પર ફરે છે, મુન્તાશીર સાહેબે ત્યાંથી સંવાદો ઉમેરીને ફિલ્મમાં ઉમેર્યા છે. કુમાર વિશ્વાસનો ડાયલોગ છે ‘તેરી લંકા લગા દૂંગા મેં’. આ બધું ઉમેરીને તેણે પ્રોજેક્ટ કરવાનું શરૂ કર્યું છે કે તેવું જતાવે છે કે તેણે બધું લખ્યું છે. તેમ છતાં તે મક્કમ છે. આ ઘમંડ કોઈપણ કલાકાર માટે યોગ્ય નથી.

આ સમાચાર પણ વાંચો: ‘કપડા તેરે બાપ કા’ આદિપુરુષનો બદલાયો આ ડાયલોગ, હવે આવું બોલતા સાંભળવા મળશે હનુમાન, જુઓ વીડિયો

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!