Ram Mandir: રામ મંદિર હાલના મંદિર કરતા અનેકગણું મોટું હોત.. જો. ASIના પૂર્વ પ્રાદેશિક નિર્દેશક મુહમ્મદેનું મોટુ નિવેદન.. જાણો બીજુ શું કહ્યું..

The Ram Mandir would have been many times bigger than the present temple.. If. Big statement of former Regional Director of ASI Muhammed
The Ram Mandir would have been many times bigger than the present temple.. If. Big statement of former Regional Director of ASI Muhammed

News Continuous Bureau | Mumbai 

Ram Mandir: રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ( Ayodhya ) યોજાઈ રહ્યું છે. તેથી હાલ આ મહોત્સવને ભવ્ય બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. દરમિયાન, રામમંદિર આંદોલનના ઈતિહાસ અને તે સમયગાળા દરમિયાનની સમકાલીન ઘટનાઓને લઈને ફરી એકવાર ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. પુરાત્વએ સર્વેક્ષણ વિભાગના ( Survey Department ) ASIના પૂર્વ પ્રાદેશિક નિર્દેશક કેકે મુહમ્મદે ( KK Muhammed ) રામ મંદિર વિશે જણાવતા પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે કે રામ મંદિર જે હાલ સ્થિત છે તેના કરતા અનેક ગણું મોટું હોત.. જો મુઘલોએ તેને તોડી પાડ્યુ ન હોત તો.. 

નોંધનીય છે કે, રામ મંદિર અને બાબરી મસ્જિદ ( Babri Masjid ) વિવાદ દરમિયાન તત્કાલીન આ વિવાદિત સંકુલમાં પુરાતત્વ સર્વેક્ષણ ( ASI ) દ્વારા ઘણી વખત ખોદકામ કરવામાં આવ્યું હતું. પુરાતત્વ સર્વેક્ષણ વિભાગને ખોદકામ દરમિયાન ઘણું બધું મળી આવ્યું હતું. પુરાતત્વ સર્વેક્ષણ (ASI) કેકે મોહમ્મદે તેમના એક જૂના વીડિયોમાં જણાવ્યું હતું કે તેઓ 1976-77માં પહેલીવાર ખોદકામ માટે અયોધ્યા ગયા હતા. આ પછી, અલ્હાબાદ હાઈકોર્ટના ( Allahabad High Court ) આદેશ પર, વર્ષ 2003માં ત્યાં (રામ મંદિર અને બાબરી મસ્જિદનો વિવાદિત પરિસર) ખોદકામ કરવામાં આવ્યું હતું.

શું હતો આ મામલો..

પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ કહ્યું હતું કે, “હું મારી ટીમ સાથે વર્ષ 1976-77માં તે પરિસરમાં ગયો કે તરત જ મેં જોયું કે મસ્જિદના તમામ સ્તંભો મંદિરના હતા. તે સ્તંભો લગભગ 11મી-12મી સદીના હતા. આ સ્તંભોનો ઉપયોગ મસ્જિદ માટે થતો હતો. આ ખોદકામ દરમિયાન 12 થાંભલાઓ મળી આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો :  NCP MLA Disqualification: ઉદ્વવ બાદ હવે શરદ પવારનો વારો.. NCP ના ધારાસભ્યોને ગેરલાય ઠેરવવાના મામલે હવે આ તારીખથી શરુ થઈ શકે છે સુનવણી: અહેવાલ..

એક અહેવાલ અનુસાર, પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે દાવો કર્યો હતો કે 2003માં ખોદકામ દરમિયાન શિલાલેખ પણ મળી આવ્યા હતા. આ શિલાલેખો લગભગ 11મી-12મી સદીના હતા. તેમણે વધુમાં દાવો કર્યો કે ખોદકામ દરમિયાન મળેલા એક શિલાલેખમાં લખ્યું હતું કે, “આ મંદિર વિષ્ણુને સમર્પિત છે, જેમણે 10 માથાવાળાને માર્યો છે.”

અહેવાલમાં વધુમાં જણાવતા, પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે એવો પણ દાવો કર્યો હતો કે વિવાદિત માળખાની જગ્યાએ પહેલા એક મોટું મંદિર હતું. અયોધ્યામાં ખોદકામ દરમિયાન દેવી-દેવતાઓની મૂર્તિઓ મળી ન હતી, પરંતુ આઠ શુભ પ્રતીકો મળી આવ્યા હતા, જે માત્ર મંદિરોમાં જ જોવા મળે છે. તેમણે પોતાના આ અહેવાલમાં કહ્યું હતું કે સ્તંભો પર મળેલી કોતરણીનો ઈસ્લામિક શૈલી સાથે કોઈ સંબંધ નથી.

By Bipin Mewada

Bipin Mewada, a seasoned journalist, boasts over 10 years of expertise in reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!