• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Navratri 2023
Tag:

Navratri 2023

Navratri 2023 : seventh day of navratri, mota ambaji borivali live darshan
ધર્મ

Navratri 2023 : જય અંબે.. સાતમા નોરતે કરો બોરીવલી ઇસ્ટમાં સ્થિત મોટા અંબાજી મંદિરના દર્શન લાઈવ.

by Hiral Meria October 21, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Navratri 2023 : માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી ( navratri ) નો પ્રારંભ રવિવારથી થઇ ગયો છે. 9 દિવસો દરમિયાન શક્તિ, દેવી અને દુર્ગાના ( Ma Durga ) નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. આજે નવલી નવરાત્રીનું સાતમું નોરતું છે. નવરાત્રિના સાતમા દિવસે નવરાત્રિના સાતમા દિવસે મા કાલરાત્રી ( Ma Kalratri ) પૂજા-અર્ચના કરાય છે. મા કાલરાત્રીની પૂજા કરવાથી ભય અને રોગોનો નાશ થાય છે. તેની સાથે જ ભૂત-પ્રેત, અકાળ મૃત્યુ, રોગ, શોક વગેરે તમામ પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આજના પાવન દિવસે કરો બોરીવલી ઇસ્ટ ( Borivali east ) માં સ્થિત મોટા અંબાજી મંદિરના ( Ambaji temple )  લાઈવ દર્શન- લો ( Live darshan ) મા અંબાના આશીર્વાદ…

ઘરે બેઠા જ કરો મા અંબાના ( Ma Amba ) દર્શન

 

આ સમાચાર પણ વાંચોઃ Kanya Pujan: નવરાત્રીમાં કેમ કરવામાં આવે છે કન્યા પૂજન, જાણો ધાર્મિક મહત્વ અને કન્યા પૂજનની સાચી પદ્ધતિ

October 21, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Kanya pujan navratri
ધર્મ

Kanya Pujan: નવરાત્રીમાં કેમ કરવામાં આવે છે કન્યા પૂજન, જાણો ધાર્મિક મહત્વ અને કન્યા પૂજનની સાચી પદ્ધતિ

by NewsContinuous Bureau October 21, 2023
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai 

Kanya Pujan: હિંદુ માન્યતા અનુસાર, કન્યાની પૂજા ( Kanya puja )  કરવાથી દેવીની પૂજા જેટલું જ ફળ મળે છે. આ જ કારણ છે કે જેઓ નવરાત્રી દરમિયાન 9 દિવસ ઉપવાસ કરે છે અને જેઓ નથી કરતા તેઓ બંને અષ્ટમી અથવા નવમી તિથિ પર માતાના આશીર્વાદ મેળવવા માટે તેમના ઘરમાં ખૂબ જ આદરપૂર્વક 9 કન્યાઓની પૂજા કરે છે. માનવામાં આવે છે કે કન્યાની પૂજા કરવાથી દેવી દુર્ગા જલ્દી પ્રસન્ન થાય છે અને નવરાત્રીની પૂજા અને ઉપવાસનો સંપૂર્ણ લાભ આપે છે. આવો જાણીએ દેવી દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવતી કન્યાઓની પૂજા કરવાની વિધિ( kanya puja vidhi ) વિશે.

નવરાત્રીમાં શા માટે કરવામાં આવે છે કન્યા પૂજન ?

નવરાત્રી( Navratri 2023 )ની અષ્ટમી અથવા નવમી તિથિ પર પૂજાની પૌરાણિક માન્યતા છે. કહેવાય છે કે એકવાર ભગવાન ઇન્દ્રએ પરમપિતા બ્રહ્માને દેવી દુર્ગાને પ્રસન્ન કરવાનો સૌથી સરળ રસ્તો પૂછ્યો, ત્યારે તેમણે કુંવારી કન્યાઓની આદર અને શ્રદ્ધાથી પૂજા કરવાનું કહ્યું. એવું માનવામાં આવે છે કે છોકરીઓની પૂજા કરવાની આ પરંપરા ત્યારથી શરૂ થઈ હતી અને અત્યાર સુધી ચાલુ છે.

કન્યા પૂજનનું ધાર્મિક મહત્વ

નવરાત્રીના અષ્ટમી( MahaAshtmi ) અથવા નવમીના દિવસે પૂજા કરવામાં આવે છે 2 વર્ષની બાળકી કુમારી, 3 વર્ષની બાળકી ‘ત્રિમૂર્તિ’, 4 વર્ષની બાળકી ‘કલ્યાણી’, 5 વર્ષની બાળકી ‘મા કાળકા’, 6 વર્ષની બાળકી ‘ચંડિકા’, 7 એક વર્ષની બાળકી’શાંભવી’નું રૂપ છે, 8 વર્ષની બાળકી ‘દેવી દુર્ગા’ છે, 9 વર્ષની બાળકી ‘દેવી સુભદ્રા’ છે અને 10 વર્ષની બાળકી ‘રોહિણી’ છે. જેની આરાધનાથી સાધકને તમામ સુખ પ્રાપ્ત ( religious significance )  થાય છે અને માતા ભગવતીના આશીર્વાદ વર્ષભર તેના પર રહે છે.

કન્યા પૂજનની સાચી રીત

નવરાત્રી દરમિયાન કન્યા પૂજા( Kanya puja ) માટે, સૌ પ્રથમ તેને આદરપૂર્વક તમારા ઘરે આમંત્રિત કરો. તેમના ઘરમાં પ્રવેશતા જ તેમના પગ ધોવો, તેમને બેસાડો, કુમકુમનો ચાંદલો કરો, આ પછી, દેવી જેવી કન્યાઓની રોલી, ચંદન, ફૂલ વગેરેથી પૂજા કરો અને તેમને પુરી, શાક, હલવો વગેરે ખાવા આપો. આ પછી, ભોજન કર્યા પછી, તેમના હાથ ધોઈ લો અને તમારી ક્ષમતા અનુસાર તેમને ભેટ અને દક્ષિણા આપો.

આ સમાચાર પણ વાંચોઃ Navratri Day 8: આ રીતે કરો મા દુર્ગાના આઠમાં સ્વરુપની પૂજા, જાણો મહાગૌરીનું સાંસારિક સ્વરુપ અને ધ્યાન મંત્ર વિશે

October 21, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Prasad recipe
વાનગી

Navratri Prasad Recipes: નવરાત્રી સ્પેશિયલ પ્રસાદ રેસિપી, બનાવવામાં છે એકદમ સરળ આજે જ ટ્રાય કરો

by NewsContinuous Bureau October 20, 2023
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai 

Navratri Prasad Recipes:  દરેક વ્યક્તિ ઇચ્છે છે કે માતાજી દરરોજ સવાર સાંજ વિવિધ પ્રકારના મિષ્ઠાનનો ભોગ ધરાવીએ પરંતુ પ્રશ્ન એ થાય છે કે રોજ નવિન શું બનાવવું તો આજ મુંજવણને દૂર કરવા માટે અહીં કઇક એવી જ સરળ રેસિપી વિશે જાણએ જેને તમે પ્રસાદ( Prasad Recipes ) તરીકે માતાને ભોગ લગાવી શકશો…

Navratri Prasad Recipes: ઘઉંના લોટનો શીરો

Nayna Nayak દ્વારા રેસીપી ઘઉંના કકરા લોટ નો શીરો (Ghau Na Lot No Shiro Recipe In Gujarati) - કૂકપૅડ

સામગ્રી

૧ કપ ઘઉંનો લોટ
૧/૨ કપ ઓગળેલું ઘી
૩/૪ કપ સાકર
૧ ટીસ્પૂન એલચીનો પાવડર
બદામની કાતરી- સજાવવા માટે

બનાવવાની રીતઃ

  • ધઉંના લોટનો શીરો( Ghav na lot no shiro) બનાવવા માટે, નૉન-સ્ટીક કઢાઈમાં ઘી ગરમ કરો, તેમાં ઘઉંનો લોટ ઉમેરી મધ્યમ તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી અથવા બ્રાઉન રંગનું થાય અને ઘી અલગ થઈ જાય ત્યાં સુધી સાંતળી લો.
  • તેમાં સાકર, એલચીનો પાવડર અને ૩/૪ કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર બીજી ૨ થી ૩ મિનિટ સુધી અથવા સાકર ઓગળી જાય ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધી લો.
  • બદામની કાતરીથી સજાવીને ગરમાગરમ ધઉંના લોટનો શીરો પીરસો.

Navratri Prasad Recipes:  સફેદ પેંડા

Homemade Doodh Peda Recipe - Milk Peda | Recipe | Indian dessert recipes, Peda recipe, Sweet recipes

સામગ્રી

૧ વાડકી મિલ્ક પાઉડર
૧/૩ કપ દૂધ
૧ ટીસ્પૂન ઘી
બદામ, કેસર, કાજુ, પીસ્તા દ્વારા સજાવો

બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક નોન સ્ટીક પાનમાં ૧ ટીસ્પૂન ઘી ઉમેરી દૂધ નાંખી ગરમ કરો.
  • હવે મિલ્ક પાઉડર ઉમેરી સતત હલાવતા રહો જ્યા સુધી લુવા વાળી શકાય એવું ઘટ થાય.
  • હવે એક થાળીમાં કાઢી ઠંડુ કરો.
  • હવે લુવા વાળી અંગૂઠાની છાપ પાડી ગોઠવો, તેને બદામ, કેસર, કાજુ, પીસ્તા દ્વારા સજાવો
  • તૈયાર છે સફેદ પેંડા(White penda)નો પ્રસાદમાં ધરી આરોગો.

Navratri Prasad Recipes:  મોહનથાળ

Welcome to Brij Mohan Sweets

સામગ્રી

૨ કપ ચણાનો લોટ
૩ ટેબલસ્પૂન ઓગળેલું ઘી
૬ ટેબલસ્પૂન દૂધ
૧ કપ ઓગળેલું ઘી
૧ ૧/૪ કપ સાકર
૨ ટીસ્પૂન દૂધ
૧ ટેબલસ્પૂન ગુલાબ જળ , વૈકલ્પિક
૧/૪ ટીસ્પૂન એલચીનો પાવડર
૧/૪ ટીસ્પૂન કેસર
૧/૨ ટીસ્પૂન તેલ , ગ્રીસિંગ માટે
૧ ટેબલસ્પૂન પિસ્તાની કાતરી , છંટકાવ માટે
૧ ટેબલસ્પૂન બદામની કાતરી , છાંટવા માટે

બનાવવાની રીત

  • મોહનથાળ ( Mohanthal ) બનાવવા માટે, એક બાઉલમાં કેસર અને ૧/૨ ટીસ્પૂન ગરમ પાણી ભેગું કરો, સારી રીતે મિક્સ કરો અને બાજુ પર રાખો.
  • એક ઊંડા બાઉલમાં બેસન, ૩ ટેબલસ્પૂન ઓગળેલું ઘી અને ૩ ટેબલસ્પૂન દૂધ ભેગું કરો અને તમારી આંગળીના ટેરવે જ્યાં સુધી કોઈ ગઠ્ઠો ન રહે ત્યાં સુધી સારી રીતે મિક્સ કરો.
  • મિશ્રણને સરખું કરવા માટે તેને હળવા હાથે દબાવો. ઢાંકણ વડે ઢાંકીને ૩૦ મિનિટ માટે બાજુ પર રાખો.
  • ગઠ્ઠાને તમારી આંગળીના ટેરવે હળવા હાથે તોડી લો અને મોટા છિદ્રોવાળી ચાળણીનો ઉપયોગ કરીને તેને ચાળી લો. બાજુ પર રાખો.
  • પીત્તળના વાસણમાં ઘી ને ઉંચા તાપ પર ૧ મિનિટ સુધી ગરમ કરો.
  • તેમાં ચાળેલા ચણાના લોટનું મિશ્રણ ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી અથવા મિશ્રણ બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી સતત હલાવતા રહી રાંધો.

આ સમાચાર પણ વાંચોઃ Navratri Day 7: નવરાત્રીના 7માં દિવસે થાય છે મા દુર્ગાના સાતમાં સ્વરુપ મા કાલરાત્રીની ઉપાસના, જાણો પૂજાવિધિનું મહત્વ

October 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Maa kalratri navratri day 7
ધર્મ

Navratri Day 7: નવરાત્રીના 7માં દિવસે થાય છે મા દુર્ગાના સાતમાં સ્વરુપ મા કાલરાત્રીની ઉપાસના, જાણો પૂજાવિધિનું મહત્વ

by NewsContinuous Bureau October 20, 2023
written by NewsContinuous Bureau

News Continuous Bureau | Mumbai 

Navratri 2023: શારદીય નવરાત્રીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. 02 ઓક્ટોબરે શારદીય નવરાત્રીની સપ્તમી(Maha Saptami) તિથિ છે. મહાસપ્તમી નવરાત્રીના સાતમા દિવસે આવે છે. આ દિવસે મા દુર્ગાના સાતમા સ્વરૂપ મા કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. હંમેશા શુભ પરિણામ આપવાના કારણે તેણીને શુભંકરી પણ કહેવામાં આવે છે. 

દુષ્ટોનો નાશ કરનારી મા કાલરાત્રી

કાલરાત્રી દુષ્ટોનો નાશ કરવા માટે જાણીતી છે, તેથી તેનું નામ કાલરાત્રી છે. મા કાલરાત્રી, મા દુર્ગા(Maa durga)નું સાતમું સ્વરૂપ, ત્રણ આંખોવાળી દેવી છે. એવું કહેવાય છે કે નવરાત્રીના સાતમા દિવસે જે પણ મા કાલરાત્રીની આરાધના કરે છે તેની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. મા કાલરાત્રીની પૂજા કરવાથી ભય અને રોગોનો નાશ થાય છે. તેની સાથે જ ભૂત-પ્રેત, અકાળ મૃત્યુ, રોગ, શોક વગેરે તમામ પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે.

મા કાલરાત્રીનું સ્વરૂપ

કહેવાય છે કે, શુંભ, નિશુમ્ભ અને રક્તબીજને મારવા માટે દેવી દુર્ગાએ કાલરાત્રી(Maa Kalratri)નું રૂપ ધારણ કરવું પડ્યું હતું. દેવી કાલરાત્રીનું શરીર અંધકાર જેવું કાળું છે. તેમના શ્વાસમાંથી અગ્નિ નીકળે છે. માતાના વાળ લાંબા અને વિખરાયેલા છે. ગળાની માળા વીજળીની જેમ ચમકે છે. માતાની ત્રણ આંખો વિશાળ અને બ્રહ્માંડ જેવી ગોળ છે. માતાના ચાર હાથ છે, જેમાં એક હાથમાં ખડગ એટલે કે તલવાર, બીજામાં લોખંડનું શસ્ત્ર, ત્રીજો હાથ અભય મુદ્રામાં અને ચોથો હાથ વરમુદ્રામાં છે.

પૂજા પદ્ધતિ

સપ્તમી તિથિના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને પૂજાની શરૂઆત કરવી જોઈએ. સ્નાન કર્યા પછી માતાની સામે ઘીનો દીવો પ્રગટાવો. તેને લાલ ફૂલ અર્પણ કરો. મા કાલરાત્રીની પૂજા(Puja of Maa kalratri)માં મીઠાઈ, પાંચ ફળ, અક્ષત, ધૂપ, સુગંધ, ફૂલ અને ગોળ, નૈવેદ્ય વગેરેનો પ્રસાદ ધરાવવામાં આવે છે.
આ દિવસે ગોળને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. મા કાલરાત્રીને ગોળ અથવા તેમાંથી બનાવેલી વાનગી અર્પણ કરો. પૂજા પૂરી થયા પછી માતાના મંત્રોનો જાપ(Mantra jap) કરો અને તેમની આરતી કરો. દુર્ગા ચાલીસા અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ પણ કરો.

મંત્ર

ऊं ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चै ऊं कालरात्रि दैव्ये नम: .
ॐ कालरात्र्यै नम:
ॐ फट् शत्रून साघय घातय ॐ
ॐ ह्रीं श्रीं क्लीं दुर्गति नाशिन्यै महामायायै स्वाहा।
ધ્યાન મંત્ર
एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता, लम्बोष्टी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी।
वामपादोल्ल सल्लोहलता कण्टक भूषणा, वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयङ्करी॥
આ સમાચાર પણ વાંચોઃ B’day Sepcial: આજે નવજોત સિંહ સિદ્ધુ જન્મદિવસ, જુઓ તેમના બાળપણ અને પરિવારની તસ્વીરો
October 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
allowed to play garba till 12 for 3 days in mumbai
મુંબઈTop Post

Mumbai: ખેલૈયાઓ માટે સારા સમાચાર! શીંદે સરકારનો સકારાત્મક અભિગમ..તો ખેલૈયાઓ હવે વધુ એક દિવસ રાત્રે ૧૨ વાગ્યા સુધી ગરબે ઝૂમશે..

by Akash Rajbhar October 20, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Mumbai: મુંબઇમાં નવરાત્રીની(Navratri) ઉલ્લાસભેર ઉજવણી થઇ રહી છે. ખેલૈયાઓ ઉત્સાહ ભેર દરરોજ ગરબાની(garba) રમજટ બોલાવી રહ્યા છે. ત્યારે ખેલૈયાઓ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. આ વખતે મુંબઈમાં બેને બદલે ત્રણ દિવસ 12 વાગ્યા સુધી રમવાની છૂટ સરકારે આપી છે.. તેથી આ વખતેની નવરાત્રીમાં વધુ ઉત્સાહની લાગણી છલકાઈ છે..

નવરાત્રિમાં બેને બદલે ત્રણ દિવસ સુધી વધુ સમય માટે રમવાની છૂટ મળે એ માટે ભાજપના નેતા પ્રવીણ દરેકરે ગુરુવારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને(Eknath Shinde) આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે શિંદે સરકારે હકારાત્મક વલણ દાખવ્યું છે. નવરાત્રિમાં એક દિવસ વધુ રમવાની છૂટ આપવાની જાહેરાત કરી છે.

આ સમાચાર પણ વાંચો :  Israel Hamas War: હમાસ-પુતિન પર બાયડનના પ્રહાર, કહ્યું ‘બંને લોકતંત્રના દુશ્મન, US માટે યુક્રેન-ઈઝરાયલ સૌથી મહત્વના’..

ત્રણ દિવસ 12 વાગ્યા સુધી ગરબાની રમજટ જામશે…..

લાંબા સમયથી આવી માગણીઓ થતી રહી છે, મહાવિકાસ આઘાડી સરકારે આ અંગે ક્યારે પણ પહેલ નહોતી કરી, પણ જ્યારથી શિંદે સરકાર આવી છે ત્યારથી તેઓ માતાજીના ભક્તો માટે હકારાત્મક વલણ અપનાવ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. ગયા વર્ષે પણ બે દિવસની છૂટને ચાર દિવસની કરવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી, પણ સરકારે ત્રણ દિવસની છૂટ આપી હતી..

આ વર્ષે પણ ખેલૈયાઓ ત્રણ દિવસ વધુ સમય માટે ગરબા રમી શકે એ માટે ભાજપના(BJP) પ્રવીણ દરેકરે મુખ્ય પ્રધાનને ગુરુવારે આવેદન પત્ર આપ્યું હતું. એકનાથ શિંદેએ આ બાબતને ધ્યાનમાં લીધી હતી અને વધુ એક દિવસ વધુ સમય માટે રમવાની પરવાનગી આપવાની જાહેરાત કરતા ખૈલયાઓમાં ઉત્સાહની લાગણી છવાઈ ગઈ છે.

તેથી મુંબઈમાં હવે માત્ર રવિવાર અને સોમવારને બદલે શનિવાર, રવિવાર અને સોમવાર એમ ત્રણ દિવસ 12 વાગ્યા સુધી ગરબાની રમજટ જામશે.. આ સમાચારથી ખેલૈયાઓમાં વધુ ઉત્સાહ અને ઉમંગોની લાગણી છવાશે..

October 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Navratri 2023 fifth day of navratri, mota ambaji borivali live darshan
ધર્મ

Navratri 2023 : જય જય અંબે જગદંબે.. પાંચમા નોરતે કરો બોરીવલી ઇસ્ટમાં સ્થિત મોટા અંબાજી મંદિરના દર્શન લાઈવ.

by Hiral Meria October 19, 2023
written by Hiral Meria

News Continuous Bureau | Mumbai 

Navratri 2023 : માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી ( navratri ) નો પ્રારંભ રવિવારથી થઇ ગયો છે. 9 દિવસો દરમિયાન શક્તિ, દેવી અને દુર્ગાના નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. આજે નવલી નવરાત્રીનું આજે પાંચમુ ( Fifth day ) નોરતું છે. નવરાત્રિના પાંચમા દિવસે મા સ્કંદમાતાની ( Ma Skandamata ) પૂજા કરવામાં આવે છે. સ્કન્દમાતાનો અર્થ કાર્તિકેયનાં માતા એવો થાય છે. આજના પાવન દિવસે કરો બોરીવલી ઇસ્ટ (Borivali east) માં સ્થિત મોટા અંબાજી મંદિરના ( Ambaji temple )  લાઈવ દર્શન- લો ( Live Darshan ) મા અંબાના આશીર્વાદ…

આ સમાચાર પણ વાંચો :  Mumbai News : ઝેરી બની મુંબઈની હવા, શું વધતા પ્રદૂષણને કારણે મુંબઈકરોને માસ્ક પહેરવાની ફરજ પડશે? પાલિકાએ કરી આ સ્પષ્ટતા

ઘરે બેઠા જ કરો મા અંબાના દર્શન

October 19, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Fifth day of Navratri , know about puja vidhi, mantra, bhog
ધર્મ

Navratri 2023: આજે નવરાત્રીનું પાંચમું નોરતુ, આ રીતે કરો મા સ્કંદમાતાની પૂજા-અર્ચના..

by Akash Rajbhar October 19, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Navratri 2023: નવરાત્રિના પાંચમા દિવસે(Day 5) મા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. સ્કન્દમાતાનો(Skandmata) અર્થ કાર્તિકેયનાં માતા એવો થાય છે (સ્કંદ = કાર્તિકેય[૧]). કાર્તિકેય કે કાર્તિક સ્વામી મહાદેવ અને ઉમાના પુત્ર છે. તેમને ચાર ભુજાઓ છે, તેમણે ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલાં છે અને અન્ય એક હાથ ખોળામાં બાળ કાર્તિકેય (દક્ષિણ ભારતમાં મુરૂગન સ્વામી)ને પકડેલા તથા બીજો હાથ વરદમુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે. દેવી ક્યારેક કમળ પર બેઠેલાં પણ દર્શાવાય છે એટલે તેમને “પદ્માસના દેવી” પણ કહેવાય છે. તેમનો વર્ણ શુભ્ર, સફેદ છે. ચાલો જાણીએ નવરાત્રિની પાંચમી દેવીના સ્કંદમાતા સ્વરૂપની પૂજા કેવી રીતે કરવી, પૂજા કરવાની પદ્ધતિ (પૂજાવિધિ), મંત્ર(mantra) અને માતાને શું ચઢાવવું જોઈએ…

માતા સ્કંદમાતાને આ ભોગ અર્પણ કરો.

નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાને કેળા અને કેળામાંથી બનાવેલી વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. તમે કેળાની ખીર બનાવીને દેવીને અર્પણ કરી શકો છો.

કેળાનો હલવો રેસીપી

પાંચ કેળાની છાલ કાઢીને એક ઇંચના ટુકડા કરી લો. એક તપેલીને ગેસ પર રાખો અને તેમાં એક કપ ઘી ઉમેરીને ગરમ કરો. ઘીમાં સમારેલા અને છૂંદેલા કેળા ઉમેરો. થોડી વાર શેકી લો અને એક કપ ખાંડ ઉમેરો. હવે તે ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. ગેસ પરથી ઉતાર્યા બાદ તેમાં એલચી પાવડર ઉમેરો.

આ સમાચાર પણ વાંચો : Hair Care : આ પાંદડા પાતળા વાળને બનાવે છે જાડા અને લાંબા, જાણો તેનું નામ અને ઉપયોગ..

મા સ્કંદમાતા પૂજા વિધિ

નવરાત્રિના પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા કરવા માટે સવારે સ્નાન કર્યા પછી પીળા રંગના વસ્ત્રો પહેરો. પૂજા માટે, તમારા હાથમાં લાલ ફૂલો સાથે દેવી સ્કંદમાતાને સ્મરણ કરો. અક્ષત, ધૂપ, સુગંધ, ફૂલ, બતાશા, સોપારી, લવિંગ દેવીને અર્પણ કરો. માતાની આરતી કરો, શંખ ફૂંકો અને મંત્રોનો જાપ કરો.

મા સ્કંદમાતાની પૂજા નિમ્ન લિખિત મંત્રથી આરંભ કરવી જોઈએ. સ્કંદમાતાની પૂજામાં ઘનુષ બાણ અર્પિત કરવાનું મહત્વ છે. તેમને સુહાગનો સામાન જેમકે લાલ ચુંદડી, સિંદૂર, નેલપોલિશ, ચાંદલો, મહેંદી, લાલ બંગડી, લિપસ્ટિક અર્પણ કરવાનું મહત્વ છે. નવરાત્રિના પાંચમા દિવસે લાલ વસ્ત્રમાં માતાને આ દરેક સામગ્રી લાલ ફૂલ અને ચોખા સાથે અર્પણ કરવી જોઈએ. મા સ્કંદમાતાની પૂજા કરવાથી મહિલાઓના સૌભાગ્ય અને સંતાન પ્રાપ્તિની શક્યતા વધી જાય છે.
या देवी सर्वभू‍तेषु मां स्कंदमाता रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।

માતા સ્કંદમાતાનો મંત્ર જાપ

सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया |
शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी ||

October 19, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Navratri 2023 :third day of navratri, mota ambaji borivali live darshan
ધર્મ

Navratri 2023 :બોલ મારી અંબે જય જય અંબે… ત્રીજા નોરતે કરો બોરીવલી ઇસ્ટ માં સ્થિત મોટા અંબાજી મંદિરના લાઈવ દર્શન.

by Hiral Meria October 17, 2023
written by Hiral Meria

  News Continuous Bureau | Mumbai

Navratri 2023 : માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી(navratri)નો પ્રારંભ રવિવારથી થઇ ગયો છે. 9 દિવસો દરમિયાન શક્તિ, દેવી અને દુર્ગાના ( Durga ) નવ સ્વરૂપોની આરાધના કરવામાં આવે છે. આજે નવલી નવરાત્રીનું આજે ત્રીજું નોરતું છે. આ પાવન દિવસે કરો બોરીવલી ઇસ્ટ( Borivali east ) માં સ્થિત મોટા અંબાજી મંદિરના ( Ambaji temple ) લાઈવ દર્શન- લો ( Live Darshan ) મા અંબાના આશીર્વાદ…

આ સમાચાર પણ વાંચો : Navratri 2023 : નવલી નવરાત્રીનો ત્રીજો દિવસ – આજના પાવન દિવસે ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી- મા આશાપુરાના લાઈવ દર્શન..

ઘરે બેઠા જ કરો મા અંબાના દર્શન

October 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Navratri 2023 Mata na madh ashapura mandir, do live darshan
ધર્મ

Navratri 2023 : નવલી નવરાત્રીનો ત્રીજો દિવસ – આજના પાવન દિવસે ઘરે બેઠા કરો માતાના મઢ મંદિરથી- મા આશાપુરાના લાઈવ દર્શન..

by Hiral Meria October 17, 2023
written by Hiral Meria

  News Continuous Bureau | Mumbai

Navratri 2023 : માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવરાત્રી (navratri) નો પ્રારંભ રવિવારથી થઇ ગયો છે. નવરાત્રિને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે એટલે કે આજે ત્રીજું નોરતું છે. આજના આ પાવન દિવસે ગુજરાત ( Gujarat ) ના કચ્છ ( Kutch ) જિલ્લામાં સ્થિત મા આશાપુરા( Maa Ashapura ) ના માતા ના મઢ મંદિર( Madh )થી ઘરે બેઠા જ દર્શન કરવાનો લહાવો લ્યો.

આ સમાચાર પણ વાંચો :  Navratri: મૂરજીભાઈ પટેલની ચમકદાર નવરાત્રિને ખેલૈયાઓનો જબરદસ્ત પ્રતિસાદ, ગ્રાઉન્ડ ફૂલ

ઘરે બેઠા જ કરો મા આશાપુરા ના દર્શન ( Live darshan )

October 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
30 Lakh Fake Navratri Ticket Scam Exposed: Inspired By Watching This TV Show..
મુંબઈMain PostTop Post

Navratri Ticket Fraud: 30 લાખના નકલી નવરાત્રી ટિકિટ કૌભાંડનો પર્દાફાશઃ આ ટીવી શો જોઈને મળી પ્રેરણા.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો..

by Akash Rajbhar October 17, 2023
written by Akash Rajbhar

News Continuous Bureau | Mumbai 

Navratri Ticket Fraud: મુંબઇમાં(Mumbai) નવરાત્રીની ઉલ્લાસભેર ઉજવણી થઇ રહી છે. ત્યારે ગરબાના અલગ અલગ આયોજનોના નકલી પાસ બનાવવાના રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ મામલામાં એક ગ્રાફિક ડિઝાઇનર અને અન્ય ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી રૂ. ૩5 લાખની માલમત્તા જપ્ત કરવામાં આવી છે.

રૂ. 30 લાખથી વધુના નકલી(fake) નવરાત્રી કાર્યક્રમ ટિકિટ કૌભાંડનો પર્દાફાશ કરીને, MHB નગર પોલીસ સ્ટેશને મુંબઈ અને વિરારમાંથી ચાર લોકોની ધરપકડ કરી છે. આરોપીઓએ એક ટેલિવિઝન શોથી પ્રેરિત થઈ ને છેતરપિંડીનું આયોજન કર્યું હતું.

આ મામલે વધુ તપાસ ચાલુ છે…

કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને MHB પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર સુધીર કુડાલકરે સચિન શિંદે, દીપક હિંદે, મંગેશ કિરપેકર, મુકેશ ખરાત, પ્રદીપ ઘોડકે, અનંત શિરસાટ અને રૂપાલી ડિંગડેની વિશેષ તપાસ ટીમની રચના કરી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે વેબ ડિઝાઇનરની આગેવાની હેઠળની ગેંગે ઉપરોક્ત નવરાત્રિ શો માટે રૂ. 3,000ના નકલી ‘સિઝન પાસ’ વેચીને 1,000 થી વધુ લોકોને છેતરપિંડી (scam)કરી હતી.

ટીમે કાર્યવાહી કરી અને માસ્ટરમાઇન્ડ પર ફોકસ કરીને ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. પાલઘરના વિરાર નગરના 29 વર્ષીય વેબ ડિઝાઇનર કરણ એ શાહે જણાવ્યું હતું કે તે ટેલિ-સિરિયલ ‘ફરઝી’થી પ્રેરિત છે. પોલીસે તેના અન્ય ત્રણ સાથીદારો દર્શન પી. ગોહિલ (24), પરેશ એસ. નેવરેકર (35) અને કવિશ બી. પાટિલની ધરપકડ ઉત્તર-પશ્ચિમ મુંબઈના ઉપનગરોમાં વિવિધ સ્થળોએ કરવામાં આવી હતી.

વરિષ્ઠ પીઆઈ કુડાલકરે જણાવ્યું હતું કે પોલીસે આરોપીઓ પાસેથી 1,000 નકલી પાસ, 10,000 રૂપિયાની કિંમતના 1,000 હોલોગ્રામ સ્ટીકરો, લેપટોપ, પ્રિન્ટર અને અન્ય સાધનો જપ્ત કર્યા છે, જેની કુલ કિંમત 35.10 લાખ રૂપિયા છે. ટેક-ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને, ટીમે ચાર લોકોની સંડોવણીની પણ ચકાસણી કરી હતી, જે કૌભાંડમાં છેતરાયેલા લગભગ બે ડઝન સાક્ષીઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. પોલીસ ટીમ ઓછામાં ઓછા બે અન્ય ફરાર સાથીઓને પણ શોધી રહી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.

આ સમાચાર પણ વાંચો : Manipur Violence: મણિપુર વાયરલ વીડિયો કેસમાં આટલા આરોપીઓ વિરુદ્ધ સીબીઆઈની ચાર્જશીટ .. જાણો શું છે આ સમગ્ર પ્રકરણ..

October 17, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign


Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક